Wednesday, June 3, 2015

હરિવર મુજને હરી ગયો
મેં તો વ્હાલ કીધું ન્હોતું ને તોયે
મુજને વરી ગયો
હું શું જાણું પ્રીતિ
અબુધ અંતરની હું નારી
મુજ હૈયે છે ગીતિ
હું શું જાણું કામણગારી
સપનામાંયે જે ના દીઠું
એ તો મુજ કંઠે નિજ કરથી વરમાળા રે ધરી ગયો
રે હસવું કે રોવું
એ જાગીને જોવું આ તે સુખ છે કે દુઃખ મીઠું
હરિવર મુજને હરી ગયો
ના સમજું તોયે સ્હેવાતું એવું કંઈ એ કરી ગયો
-નિરંજન ભગત

No comments:

Post a Comment