Sunday, December 21, 2014

અમારી દુર્દશા માટે તમારા વાંક શું ગણવા?
છળે શ્વાસો જ અમને તો હવાના વાંક શું ગણવા?
અમે શ્રદ્ધા ગુમાવીને પછી રસ્તે જ બેસી ગ્યા,
તમારા તીર્થ કે એની ધજાના વાંક શું ગણવા?
ઊણપ ઉપચારમાં લાગે જગતનો એ જ નિયમ છે,
દરદની ઓથ લૈ લે તું, દવાના વાંક શું ગણવા?
મને મારી જ હદ છે કેટલી એની ખબર ક્યાં છે,
અને એમાં વળી તારી ગજાના વાંક શું ગણવા?
અમે આ મોરના પીંછાથી આગળ જૈ નથી શકતા,
તો એમાં મોર કે એની કળાના વાંક શું ગણવા?

- અશરફ ડબાવાલા

No comments:

Post a Comment