અમારી
દુર્દશા માટે તમારા વાંક શું ગણવા?
છળે શ્વાસો જ અમને તો હવાના વાંક શું ગણવા?
છળે શ્વાસો જ અમને તો હવાના વાંક શું ગણવા?
અમે
શ્રદ્ધા ગુમાવીને પછી રસ્તે જ બેસી ગ્યા,
તમારા તીર્થ કે એની ધજાના વાંક શું ગણવા?
તમારા તીર્થ કે એની ધજાના વાંક શું ગણવા?
ઊણપ
ઉપચારમાં લાગે જગતનો એ જ નિયમ છે,
દરદની ઓથ લૈ લે તું, દવાના વાંક શું ગણવા?
દરદની ઓથ લૈ લે તું, દવાના વાંક શું ગણવા?
મને
મારી જ હદ છે કેટલી એની ખબર ક્યાં છે,
અને એમાં વળી તારી ગજાના વાંક શું ગણવા?
અને એમાં વળી તારી ગજાના વાંક શું ગણવા?
અમે આ
મોરના પીંછાથી આગળ જૈ નથી શકતા,
તો એમાં મોર કે એની કળાના વાંક શું ગણવા?
તો એમાં મોર કે એની કળાના વાંક શું ગણવા?
- અશરફ ડબાવાલા
No comments:
Post a Comment