Saturday, October 25, 2014

કુદરત નો ચમત્કાર

મન તને ક્યા જાણ છે , ખોખલા ખેંચાણ છે
લોક પરમેશ્વર ગણે , હુ કહુ છુ: પહાણ છે.

ઉપરોક્ત પંક્તિ દ્વારા દરરોજ ઇશ્વર ની ગેરહાજરીને અનુભવતી. કારણકે ૧૮ વર્ષથી રુમેટોઇડ આર્થરાઇટીસની યાતના ભોગવતી હતી તેના કારણે છેલ્લા આઠેક માસથી પથારીવશ બની ગઇ હતી.શરીરના એકપણ joints કામ કરતા ન હતા. સખત સોજા ચડી ગયા હતા. બાજુમાંથી કોઇ પસાર થાય અને તેમના કપડા જો અડકી જાય તો પણ ચીસ પડી જતી. મારી દૈનિક ક્રિયાઓ કરવા માટે પણ ઘરની વ્યક્તિની મદદ લેવી પડતી. આધારની જરુર પડતી. આયુર્વેદની દવાને કારણે જમવામા સવારે મગનુ પાણી અને સાંજે ખીચડી આપવામા આવતી.હુ મારુ જ વજન ઉંચકી શકતી નહી. પરેજી અને દવાને કારણે ૫ માસ પછી સોજા ઉતરી ગયા પરંતુ ગોઠણ થી એક પગ વાંકો વળી ગયો જમણો હાથ ૯૦ અંશ ના ખુણે વળી ગયો.અને સમ્પુર્ણ પરાધીનતા આવી ગઇ.હુ જાણે અધુરપનુ કાયમી સરનામુ બની ગઇ હતી. એક સમયે દોડતી વ્યક્તિ વ્હીલચેર પર આવી ગઇ કારણ ....

રોજ હુ મરવા પડુ ને રોજ જીવી જાઉ છુ એવુ અનુભવતી હતી . કોઇ કવિના શબ્દો યાદ કરતી
એ જ માણસ જીન્દગી સહેલાઇથી જીવી શકે
જે મરણના આગમનની વાત ભુલી જાય છે
કોઇપણ હાલતમા ખુશ રહેવાનુ મન શીખી ગયુ
એટલે મારા બધાય દર્દ હાંફી જાય છે
છતાય હિમ્મત હતી. સતત ૮ મહિના એક જ ઓરડામા પસાર કરવા ખુબ જ કઠિન છે.
આવા સમયે F. B. મારી મદદે આવ્યુ .મિત્રોની ઓળખ, નવા કાવ્યો, સુન્દર લખાણો, સુન્દર વિચારોની આપ- લે, સ્વભાવનો પરિચય અને એક પરિવાર જેવી હુંફ …………આ બધુ મને F. B. દ્વારા મળ્યુ. મનના ભાવો વ્યક્ત કરવાની તક મળી. મને ક્યારેય મારા જીવન પ્રત્યે અભાવ નથી આવ્યો. કારણ કે જીવન જીવવા માટે જાણે નવી દિશા મળી ગઇ.
આ જ સમયગાળામા મને ફેસબુક દ્વારા અમદાવાદ રહેતા યોગાચાર્ય દિલિપભાઇ ધોળકિયા વિશે માહિતી મળી. તરત જ ફોન કરી જાણકારી મેળવી.અને તેઓને રુબરુ મળ્યા તેમણે પુરા આત્મવિશ્વાસથી મને ચાલતી કરી દેવાની વાત કરી. તેમનો જુસ્સો, વાત કરવાની રીત જોતા થયુ કે બસ, હવે તો રોગને જવુ જ પડશે.સારવાર ચાલુ કરી ત્રણ ચાર દિવસમા હુ મારા પગપર ઉભી થઇ ગઇ. ન માની શકાય એવી વાત બની ગઇ. ભાવનાત્મક રીતે વિચારીએ તો આંખમા હર્ષાશુ આવ્યા. મને જોનાર દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત બની ગઇ . આજે હુ સરળતાથી ચાલી શકુ છુ. મે વ્હીલચેરનો ઉપયોગ કર્યો જ નથી. ખરેખર.... મને તો જાણે પુનર્જન્મ મળ્યો.
હુ અમદાવાદ સારવાર માટે જવાની હતી તે અંગેના સ્ટેટસમા કોમેંટસ દ્વારા તેમજ ઇનબોક્ષ મેસેજ દ્વારા ઉપરાંત ફોન દ્વારા મારા અમદાવાદમા રહેતા ફેસબુક મિત્રોએ મને બનતી મદદ કરવા માટેની તત્પરતા દાખવી છે તે બદલ આપ સર્વે નો હ્રદયપુર્વક આભાર માનુ છુ . ખાસ તો મારા મોટાભાઇ (આપણા સર્વેના વડલા સમાન “દાદુ” ઉર્ફે
સનતભાઇ દવે ) અવારનવાર ફોન દ્વારા તેમજ રુબરુ મળીને મારા દુ:ખમા ભાગીદાર થયા છે, ફોન પર વાત કરતા પણ રડી પડ્યા છે અને સાથેસાથે મારુ મનોબળ ટકાવી રાખવાની મને હિમ્મત આપી છે. તેઓનો હુ ખાસ આભાર માનુ છુ . ફેસબુક દ્વારા પણ આવા નિકટના સમ્બન્ધ બન્ધાય છે તેનુ આ જ્વલંત ઉદાહરણ છે.
મારી દિકરી જાનકી અને જગદીશ બન્ને મારી સાથે આ સમય દરમ્યાન પુત્ર બનીને ઉભા રહ્યા છે. મારુ મનોબળ વધારવામા તેમનો અમુલ્ય ફાળો છે.
ખરેખર મારા માટે તો આ કુદરતી ચમત્કાર જ છે. તેમા શ્રી દિલિપભાઇની મહેનત આપ સર્વેની શુભકામના અને વડીલોના આશિર્વાદ થકી જ અશક્ય લાગતી વાત શક્ય બની છે
આ પરિચિત માર્ગ પરથી સાવ છેલ્લી વાર જ્યારે નીકળુ,
ભવભીના હ્રદયે આભાર સાથે સો સો સલામુ આપને .
ફરીથી આપ સર્વેનો ખુબ ખુબ આભાર

બીજુ આપ સૌ ની જાણકારી માટે યોગાચાર્ય શ્રી દિલિપભાઇ ની વેબસાઇટ તેમજ ફોન ન. ૯૮૯૮૨ ૮૭૬૨૭ - ૯૦૩૩૦ ૬૫૪૯૬
www.yagocharyadilip.com


No comments:

Post a Comment