Friday, June 27, 2014

એક વાદળી પૂછે આભ ને હું મન મૂકીને વરસું ?
પણ આભ કહે આ નીચે રહેલાઓનું શું કરશું ?

એને મન તો વાદળી એક અલ્લડ તરુણી ને
આભ એક સુંદર પણ જુવાન ભોળો શો.

બંનેના મિલન વિશે લોકો રાખે ધારણાઓ,
આવા તે મિલન મા હશે છાનુંછપનું શું ?

આભ કહે સારા માણસોનું તો શું કહેવું પણ…
પણ વાદળી કહે અદેખાની આંખ મા ખટકશું.

નિર્ણય તો બંને એ લીધો એવો છેલ્લે કે
ધારવું હોય એ ધારે એમાં આપણે છે શું ?

આપણે તો મન મૂકી એવા વરસશું
કે બધાને આપણા હર્ષાશ્રુમાં ભીંજવશું.

– આશિષ ઉપાધ્યાય

No comments:

Post a Comment