Saturday, November 19, 2016

કે કાગળ હરિ લખે તો બને
અવર લખે  તો એકે અક્ષર  નથી ઊકલતા  મને

મોરપીંછનો  જેના  ઉપર  પડછાયો   ના પડિયો
શું વાંચું  એ કાગળમાં  જે હોય શાહીનો ખડિયો

એ પરબીડિયું શું ખોલું  જેની વાટ ન હો આંખને
કે કાગળ હરિ લખે તો બને

મીરાં કે પ્રભુ  શ્વાસ અમારો  કેવળ એક ટપાલી
નિશદિન આવે જાય  લઈને  થેલો  ખાલી ખાલી

ચિઠ્ઠી લખતાંવેંત પહોંચશે સીધી મીરાં કને
કે કાગળ હરિ લખે તો બને


- રમેશ પારેખ

No comments:

Post a Comment