Wednesday, May 25, 2016

હરિવર મુજને હરી ગયો
મેં તો વ્હાલ કીધું નો’તું ને, તોયે મુજને વરી ગયો,
હરિવર મુજને હરી ગયો….
અબુધ અંતરની હું નારી, હું શું જાણું પ્રિતી ?
હું શું જાણું કામણગારી, મુજ હૈયે છે ગીતિ,
એ તો મુજ કંઠે બે કર થી, વરમાળા રે ધરી ગયો,
હરિવર મુજને હરી ગયો…..
સપનામાંયે જે ના દીઠું, એ જાગીને જોઉં,
આ તે સુખછે કે દુ:ખ મીઠું? રે હસવું કે રોવું?
ના સમજુ તોયે સહેવાતું, એવુંજ એ કઈ કરી ગયો
હરિવર મુજને હરી ગયો…..

નિરંજન ભગત 

No comments:

Post a Comment