Thursday, March 31, 2016

પૂછ  એને  કે  જે   શતાયુ છે,
કેટલું  ક્યારે   ક્યાં  જીવાયું છે.

શ્રી  સવા બારણે લખ્યા કર તું,
શબ્દથી  બીજું   શું  સવાયું છે.

આંખમાં  કીકી  જેમ સાચવ તું,
આંસુ  ક્યાં દોસ્ત ઓરમાયું છે.

આપણો  દેશ   છે  દશાનનનો,
આપણો  માંહ્યલો   જટાયુ   છે.

તારે  કાજે  ગઝલ  મનોરંજન,
ને મારે  માટે તો  પ્રાણવાયુ છે.
-મનોજ ખંડેરિયા

No comments:

Post a Comment