હસવા માટે
સમય કાઢો,
કેમ કે
હાસ્ય એ આત્માનું સંગીત છે.
વિચારવા
માટે સમય કાઢો,
કેમકે
વિચાર એ શક્તિનો સ્ત્રોત છે.
વાંચવા
માટે સમય કાઢો,
કેમ કે
વાચન એ વિદ્વતાનો પાયો છે.
રમવા માટે
માટે સમય કાઢો,
કેમ કે રમત
ગમત એ યુવાન રહેવાની ચાવી છે.
મૌન પાળવા
માટે સમય કાઢો,
કેમ કે મૌન
એ ભગવાન પ્રાપ્તિ માટેની તક છે.
સમજણ
કેળવવા માટે સમય કાઢો,
કેમ કે
સમજણથી જ બીજાને મદદ કરી શકાય છે..
લોકોને
પ્રેમ આપવા અને પ્રેમ લેવા માટે સમય કાઢો,
કેમકે
પ્રેમ એ જ પ્રભુની એક મોટી ભેટ છે.
મૈત્રીભાવ
કેળવવા માટે સમય કાઢો,
કેમ કે
મિત્રતા એ સુખી થવા માટેનો રાજમાર્ગ છે.
સ્વપ્નશીલ
બનવાનો સમય કાઢો,
કેમકે
સ્વપ્નોથી જ ભવિષ્ય બનાવી શકાય છે.
અને છેલ્લે,
પ્રભુ
પ્રાર્થના માટે તો સમય કાઢો જ કાઢો,
કેમકે, પ્રભુ એ જ
આ જગત ઉપરની એક મહાસત્તા છે.
વિનોદ
પટેલ
No comments:
Post a Comment