Sunday, December 14, 2014

હસવા માટે સમય કાઢો,
કેમ કે હાસ્ય એ આત્માનું સંગીત છે. 
વિચારવા માટે સમય કાઢો,
કેમકે વિચાર એ શક્તિનો સ્ત્રોત છે.

વાંચવા માટે સમય કાઢો,
કેમ કે વાચન એ વિદ્વતાનો પાયો છે.

રમવા માટે માટે સમય કાઢો,
કેમ કે રમત ગમત એ યુવાન રહેવાની ચાવી છે.

મૌન પાળવા માટે સમય કાઢો,
કેમ કે મૌન એ ભગવાન પ્રાપ્તિ માટેની તક છે.

સમજણ કેળવવા માટે સમય કાઢો,
કેમ કે સમજણથી જ બીજાને મદદ કરી શકાય છે..

લોકોને પ્રેમ આપવા અને પ્રેમ લેવા માટે સમય કાઢો,
કેમકે પ્રેમ એ જ પ્રભુની એક મોટી ભેટ છે.

મૈત્રીભાવ કેળવવા માટે સમય કાઢો,
કેમ કે મિત્રતા એ સુખી થવા માટેનો રાજમાર્ગ છે.

સ્વપ્નશીલ બનવાનો સમય કાઢો,
કેમકે સ્વપ્નોથી જ ભવિષ્ય બનાવી શકાય છે. 

અને છેલ્લે,
પ્રભુ પ્રાર્થના માટે તો સમય કાઢો જ કાઢો,
કેમકે, પ્રભુ એ જ આ જગત ઉપરની એક મહાસત્તા છે.

વિનોદ પટેલ

No comments:

Post a Comment