Thursday, August 7, 2014

 શા માટે કાન તે રાધા ને છોડી?
દ્વારિકામા રહીને અષ્ટ પટરાણી કરી?
હવે તારા તે પ્રેમ ની દુહાઇ નહી દઇએ,
તે તો ગોકુળની ભોળી છોડીને ભરમાવી
પ્રેમને કાજે શીવ સતીની રાહ જુએ,
તે તો રાધાને કદી સપનેય ન લાવી.
રાધે રાધે જે તારી બંસરી બોલતી,
રાધાને ભુલવા એ બંસીને પણ છોડી.
શિવે સતીને કાજે પ્રુથ્વી કંપાવી, (તાંડવ કર્યુ)
હરીવર તે રાધિકાને પ્રેમમા ભુલાવી?
તુ તો રાધાની સાથે ગોકુળિયુ ભુલ્યો,પણ,
તને મળવાની "તૃષા" હૈયામા જાગી.
                       -પંડ્યા દક્ષા (તૃષા)



No comments:

Post a Comment