Thursday, June 26, 2014

પછી શું શેષ હશે નગરીમાં ?
મીરાં ગયાં, એ સાંઢણી કેરા
પડ્યા ધીમા ધીમા !

મીરાં નથી, એની વાતોનો
ખડખડતો ખાલીપો;
મીરાં હતાં – એ સ્થાનક કેરા
બૂઝી ગયેલા દીપો.

નગરજનોને ચહેરે છાયા
વિષાદ ને કાલિમા;
પછી શું શેષ હશે નગરીમાં ?

વિષ પીધાં, અમૃત માની – એ
પાત્રોના ખનકાટો;
કોટ-કાંગરે, મ્હેલે-સ્તૂપે
વ્યાપ્યો જે સન્નાટો.

કેટકેટલાં ગુમાન લથડ્યાં
એ ડમરી-આંધીમાં !
પછી શું શેષ હશે નગરીમાં ?

– ગિરીશ ભટ્ટ

No comments:

Post a Comment