રખે ને રામ તમે રોતા !
રખે ને રામ તમે રોતા !
આપશ્રીના મંદિરમાં કરી નાખ્યું ને
એ રાવણના માણસો તો ન્હોતાં.
રખે ને રામ તમે રોતા !
ત્યારે પણ તમને તમારા નડેલા ને
આજે પણ બધ્ધું એમનેમ છે.
કૈકઇ ને મંથરાઓ સુધરી ગઈ ને
એ તો આપશ્રીના મનનો બસ વ્હેમ છે.
કહેવાતા સેવક સૌ દાનની નદીમાં
ભલે પોતાનું દાળદર ધોતા....
રખે ને રામ તમે રોતા !
મર્યાદાપુરુષોત્તમ સાચા....પણ...
પ્હેલેથી થોડીક તો રાખવી'તી ધાક
કડવા બોલાયા બે'ક વેણ એમાં
આપ કહો માતા સીતાનો શું વાંક
ચોરને પણ લાગે છે સી સી ટીવી
માંથી રામજી તો કાંઇ નથી જોતાં
*કૃષ્ણ દવે*
તા-૨૨-૬-૨૦૨૬
No comments:
Post a Comment