કૃષ્ણને
તું ભૂલ્યો તો નથીને
યુગે યુગે સંભવામી વાળું તારું વચન ,
કે પછી એ
સ્લીપ ઓફ ટંગ હતી ?
જો એવું ન હોય તો આવીજા
હજુયે મોકો છે ,પછી તો ……
કુખોનો પડવાનો છે દુકાળ
કેમકે ,
હવેતો દેવકી-યશોદાને
ગર્ભમાં જ ફાંસી દેવાય છે ને …
સીતા -રાધા-કુંતીને
દહેજ ના દવમાં હોમાય છે.
કહું છું આવીજા ……
હજું પણ કઈ કેટલા
દેવકી-વસુદેવો તારા માટે
કારાગારે રહેવા તૈયાર છે .
આવીજા ….
પછી કહેતો નહીં કે કીધું નહીં ….
કે પછી કોઈ વૈજ્ઞાનિકની લેબોરેટરી માં
જનમવાનો વિચાર છે? ???????????
- Vandana Shantuindu
તું ભૂલ્યો તો નથીને
યુગે યુગે સંભવામી વાળું તારું વચન ,
કે પછી એ
સ્લીપ ઓફ ટંગ હતી ?
જો એવું ન હોય તો આવીજા
હજુયે મોકો છે ,પછી તો ……
કુખોનો પડવાનો છે દુકાળ
કેમકે ,
હવેતો દેવકી-યશોદાને
ગર્ભમાં જ ફાંસી દેવાય છે ને …
સીતા -રાધા-કુંતીને
દહેજ ના દવમાં હોમાય છે.
કહું છું આવીજા ……
હજું પણ કઈ કેટલા
દેવકી-વસુદેવો તારા માટે
કારાગારે રહેવા તૈયાર છે .
આવીજા ….
પછી કહેતો નહીં કે કીધું નહીં ….
કે પછી કોઈ વૈજ્ઞાનિકની લેબોરેટરી માં
જનમવાનો વિચાર છે? ???????????
- Vandana Shantuindu

No comments:
Post a Comment