હ્રદયના શુદ્ધ પ્રેમીને નિગમનાં જ્ઞાન ઓછાં છે ;ન પરવા માનની તોયે બધાં સન્માન ઓછાં છે.તરી જાવું બહુ સહેલું છે મુશ્કિલ ડૂબવું જેમાં,એ નિર્મળ રસસરિતાથી ગંગાસ્નાન ઓછાં છે.પ્રણયકલહે વહે આંસુ ચૂમે ચાંપી હ્રદય સ્વામિન્,અરે, એ એક પળ માટે, જીવનનાં દાન ઓછાં છે.– પ્રભુલાલ દ્વિવેદી
No comments:
Post a Comment