Thursday, July 31, 2014
રે’શું અમેય ગુમાનમાં
હરિ સંગ નહિ બોલીયે…
ખોલીશું બારણાને લેશું ઓવારણાં,
આવકારા દેશું શાનમાં
હરિ સંગ નહિ બોલીયે…
આસનિયા ઢાળશું ને ચરણો પખાળશું,
આંખ્યું ઉલાળશું તોફાનમાં
હરિ સંગ નહિ બોલીયે…
લાપસિયું ચોળશું ને ચરણો પખાળશું
મુખવાસા દે’શું પાનમાં
હરિ સંગ નહિ બોલીયે…
મીંરા કે અંતમાં, આ ભરવસંતમાં
જીવતર દે;શું દાનમાં
હરિ સંગ નહિ બોલીયે…
- રમેશ પારેખ
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment